Saturday, August 18, 2012

તારે બ્રાહ્મણ થવું છે કે શ્રમણ
*
નીરવ પટેલ



એક ગુરુએ કહ્યું :
મને તારો જમણા હાથનો અંગૂઠો આપ ગુરુદક્ષિણામાં.

એક ગુરુએ કહ્યું :
હજાર હત્યાઓ કરીને,
જમણા હાથની હજાર ટચલી આંગળીઓની માળા
અર્પણ કર મને ગુરુદક્ષિણામાં.

એક ગુરુએ કહ્યું :
અપનો પારસ આપ

એક ગુરુએ કહ્યું  :
અપ્પો દીપ ભવ

તું નક્કી કર,
તારે બ્રાહ્મણ થવું છે કે શ્રમણ.  

--------

No comments:

Post a Comment